Monday, April 30, 2018

આખાત્રીજના તહેવાર(શન)



આખત્રીજ ડાંગી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. અખાત્રીજ વર્ષનો અંતમાં આવતો તહેવાર છે જેને સ્થાનિક આદિવાસીઓ છેલ્લો તહેવાર પણ કહે છે અખાત્રીજ પછી તેરાની શરૂઆત થાય છે. વર્ષોથી જંગલ સાથે જોડાયેલા આદિવાસી લોકો કુદરતને પોતાનો ગણીને તેની સામે ભાવના વ્યક્ત કરે છે જે સામાન્ય માણસના સમજણની બહાર છે. વર્ષમાં ઘણાં બધા અનોખા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાંથી આ એક અખાત્રીજ નો તહેવાર છે.આદિવાસીઓનો ખેતી સાથે મુખ્ય નાતો રહ્યો છે ખેતીમાં કયો પાક વધુ સારો પાકસે તેની ખાત્રી અખાત્રીજથી કરવામાં આવે છે.વૈશાખ સુદ ત્રીજના દિવસે અખાત્રીજ ના તહેવારની ઉજવણી થાય છે. આ દિવસે  ખાસ ડાંગી આદિવાસીઓ પોતાના પૂર્વજોને યાદ કરીને તેમના નામે ચૂલામાં અગારી પાડે છે,જે પૂર્વજોનું દેવપૂજન કહી સકાય. અખાત્રીજને પૂર્વજોના પૂજનનો તહેવાર પણ કહેવામાં આવે છે. 

(ચુલામા પાડેલ અખાત્રીજ)
અખાત્રીજના આઠ દિવસ પહેલા ગવરાઈ(ગૌરાઈ) પૂજન કરવામાં આવે છે. ગવરાઈ પૂજન એટલે કે વાંસની ટોપલી લઈ (જેને ડાંગી ભાષામાં સેનુગલી કહેવામાં આવે છે) તેમાં માટી નાખી પાંચ જાતનાં ધાન્ય-મકાઈ,નાગલી,અડદ,ભાત,જુવારની વાવણી કરવામાં આવે છે. ગવરાઈ પૂજતી વખતે સ્ત્રીઓ ગવરાઈ પૂજન નું ગીત ગાય છે. ગવરાઈ ને ઘરના ખુણામાં ઝીલાથી(વાસમાંથી બનાવેલ ટોપલો) ઢાંકી દેવામાં આવે છે. દર દિવસે નવા પાનીથી(સવારે કૂવેથી કે નદીમાંથી લાવેલ પીવાનું ચોખ્ખું પાણી) ગવરાઈ નું સિંચન કરવામાં આવે છે. ગવરાઈ ઉગાડવાનું કારણ ધાન્ય જેમ ઉગે છે તેના પરથી ખેતીના પાકનો અંદાજો લગાવી સકાય છે. ગવરાઈ સારી(જાડી પાંદડા વાળી) ઉગશે તો ખેતીમાં પાક સારો આવશે. અને ગવરાઈ સારી ના થઈ તો ખેતીનો પાક સારી આવશે નહીં. ખેતરોમાં વાવવા માટેના બીજની પરીક્ષા કહી શકાય. વર્ષો પહેલા ગવરાઈ જોઈને જ વડીલો ખેતીના પાકનો અંદાજો લગાવી લેતા અને અખાત્રીજના બીજા જ દિવસે ખેતરમાં પાકની વાવણી કરી દેતા હતા.

આઠ દિવસ પછી જાગલે (ગામનો સંદેશાવાહક) ગામમાં બુમ પાડીને  અખાત્રીજના શન ની જાહેરાત કરે છે. શન,કર કે કોઈપણ તહેવારના દિવસે ડાંગી આદિવાસીઓ પોત પોતાનું કામખેતરનું કામ બંધ રાખે છે. સવારના પહોરમાં ગવરાઈ ના અમુક પાંદડા તોડીને તેને પૂજા માટે લઇ જવાના હોય છે. ગવરાઈ,તાબેમાં (લોટો) નવા પાની અને નારિયેળને લઈને મંદિરે જઈ તેનું પૂજન કરવામાં આવે છે. હનુમાનજીનું મંદિર તથા હોળી પ્રગટાવવામાં આવે છે તે જગ્યાએ આવેલ રતીની દગડ(પથ્થર) પાસે પૂજન કરવામાં આવે છે. પૂજામાં વધી ગયેલ નવા પાની ને ઘરે આવીને તેનો ઘરમાં છાંટવામાં આવે છે.ઘરે સયપાક(જમવાનું ભોજન) બનાવ્યાં પછી ચૂલામાં રાન ગવરે( જંગલના છાણા)થી ચૂલો સળગાવવામાં આવે છે. રિવાજ પ્રમાણે સૌ પ્રથમ દારૂની અગારી(ચૂલામાં દારૂનો છટકાવ) પાડવામાં આવે છે. અગારી પાડતી વખતે ખાસ નદીનાં માછલાં જરૂરી હોય છે જેને ચૂલામાં નાખવામાં આવે છે. ઘરની પરિસ્થિતિ અનુસાર બનાવેલ સયપાકથી ચૂલામાં અગારી પાડવામાં આવે છે. કુટુંબ કે ઘરનો વડીલ વ્યક્તી અગારી પાડવાનું કામ કરે છે. સૌ પ્રથમ પુરુષો સ્વર્ગવાસ થઈ ગયેલા પૂર્વજોના નામ લઇને ચૂલામાં તેમના નામની અગારી પાડવામાં આવે છે ત્યાર પછી સ્ત્રીઓ અને બાળકોના નામ લઇ ચૂલામાં અગારી પાડવામાં આવે છે. અગારી પાડ્યા પછી દેવ પૂજન કરવામાં આવે છે. સૌ પ્રથમ  ચુલાનું પૂજન કરવામાં આવે છે. પોળસના પાનમાં( કેસૂડાના પાંદડા) સયપાક લઇ તેને ચૂલા પાસે મુકવામાં આવે છે.ત્યાર પછી ઘરની બહાર ભુતીયા દેવ,મુંગાનું નામના વગેરે(એક જાતનું કીટક તેનાથી રક્ષણ મેળવવા માટે) દેવ પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ સૌ લોકો સાથે મળીને ભોજન ગ્રહણ કરે છે. 

(અગારી પાડ્યા પછી દેવ કરવામા આવે છે)

(બોના)

બીજા દિવસે ગવરાઈ ને ગામના પાણી પીવાની જગ્યા કુવા કે નદીમાં લઈ જવાની હોય છે જે માત્ર બહેનો જ લઈ જઈ શકે છે. સાંજના પાંચ વાગ્યાના સમયે ગવરાઈમાં કોડી ના બે દાંડીયા તથા સાથે નાગલીના રોટલાંસાકર કે ગોળ,અને માછલી મૂકીને ગામની પાણી પીવાની જગ્યાએ જાય છે. ગામની બહેનો ગીતો ગાતાં ગાતાં ગવરાઈ ને લઇ જાય છે તેમની સાથે નાનાં બાળકો પણ ગવરાઈના પાંદડા ને કાનમાં મુકુને નાચતાં કૂદતાં તેમની સાથે જાય છે. કૂવે ગયા પછી ત્યાં ગીતો ગાતાં ગાતાં કુવા ફરતે પાંચ કાવા(ગોળ ફરવું) ફરીને ગવરાઈને કુવા પાસે મૂકી દેવામાં આવે છે. ત્યારપછી જે રોટલા લઇ ગયાં હોય તેને ભેગાં કરી સૌ કુવા પાસે જ રોટલા વહેંચીને  ખાઈ ખાય છે.
(નાનાં બાળકો અખાત્રીજને માથે પહેરે છે)

ડાંગી આદિવાસીઓ અખાત્રીજ માં ગવરાઈ થી ખેતીના પાકનો અંદાજો કાઢે છે.સાથે અખાત્રીજ એ વડીલોને શ્રાદ્ધ વિધી અર્પણ નો તહેવાર પણ કહી સકાય. અખાત્રીજ ના દિવસે વડીલોને યાદ કરી તેમના નામની અગારી પાડવામાં આવે છે.


(વેવ્સ ગુર્જરવાણી ગૃપના વિઘ્યાથીઓ દ્વારા અખાત્રીજના તહેવાર પર ત્યાર કરેલ ડોક્યુમે્ટરી ની લીંન્ક) 
https://youtu.be/41ZbS0bjwBM


માહીતી સોર્સ : હીરાભાઈ મહાલા (લહાન માંળુગા)


Thursday, April 19, 2018

આદિવાસી વિસ્તારોમાં બાળકોનો શિક્ષણ-સંધર્ષ


આદિવાસી લોકોની એકતા દાખવતા આ નૃત્ય ને ચીંચલી ના યુવાનોએ દેશભરમાં પ્રખ્યાત કર્યું છે.જે ખૂબ જ ગૌરવની વાત છે .


   "
અમે જંગલ-ડુંગરાના રહેવાસી,
    અમે તો આ દેશનાં આદિવાસી..."

   ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં બરડીપાડા ગામની શાળાનાં  વિધાર્થીઓ દ્વારા ગવાતું આ ગીત આદિવાસી સંસ્કૃતિને હુંફ આપી રહ્યું હતું.આ માત્ર ગીત નહોતું એમનું અસ્તિત્વ દર્શન કરાવી રહ્યું હતું.બાળકો સુંદર રાગ સાથે આ ગીતને ગાય રહ્યા હતાં.વાતાવરણ અને પ્રકૃતિને મળતું આ ગીત અલગ પડેલાં પણ પ્રકૃતિપ્રેમી લોકોનું આર્દશ હતું.આદિવાસી વિસ્તારોમાં બાળકોને ભણવામાં ઘણીબધી તકલીફો પડતી હોય છે.દુર-દુર રહેલી શાળાઓ પર જવા માટે બાળકો ભયાનક જંગલો કાપીને જતા હોય ત્યારે સૌથી મોટું જોખમ એનાં જીવનું હોય છે.સરકાર પણ પાયાની શૈક્ષણિક જરૂરિયાતો પહોચાડવામાં નિષ્ફળ રહી છે.આદિવાસીઓ પોતાના ઘરો છોડીને શહેરોમાં જવા ઈચ્છતાં નથી તેમણે પ્રકૃતિ સાથે જ રહેવું પસંદ છે.જંગલો,ઝાડીઓ સાથે એમનો પ્રેમ અદભુત છે.

    "તમે ઘી જોયું છે?" આવો પ્રશ્ર્ન પુછતાં જ બધા બાળકો બોલી ઉઠ્યા "ના".બાળકોએ સાચે જ ક્યારેક ઘી જોયું નહોતું.ઘી ની વાત છોડો બાળકોએ ક્યારેય દરિયો,રણ જેવા પ્રાકૃતિક વિસ્તારો પણ જોયા નહોતા. આમ બાળકોને અભ્યાસમમાં સાચું શિક્ષણ આપવું એ પણ શક્ય નથી.જે બાળકોને ઘરની પુરતી વસ્તુઓ વિશે જ ખબર ના હોય તેમણે શિક્ષણ આપવું એ અઘરું બની રહે.જયારે કોઈજ મુદ્દો આપણે તેમને સમજાવવા ઇચ્છતાં હોય પણ એ મુદ્દામાં આવતાં સામાન્ય શબ્દોનું જ જ્ઞાન બાળકો પાસે ના હોય તો સમજાવી શકાય નહી.આ તો એકડો પહેલેથી ઘુંટવા જેવી વાત થઈ જાય.હા આપણાં વિકસિત ગણાતાં ગુજરાતનાં કેટલાય આદિવાસી વિસ્તારોની હાલત આવી જ છે.બાળક અમુક પ્રકારની દુનિયામાં જ છે તે બહાર આવ્યા જ નથી.અમુક વસ્તું તો તેમણે જોઈ જ નથી જે આપણે ત્યાં રોજબરોજના કામોમા ઉપયોગ લેવાય છે.આ બધા પાછળનું કારણ એક જ છે નબળી શિક્ષણની ગુણવત્તા,ઓછું પારિવારિક શિક્ષણ અને અધત્તન સાધનો જેના દ્વારા વૈશ્ર્વિક જ્ઞાન આપી શકાય તેનો અભાવ.આમ જો આ વિસ્તારોને આપણે એક ચોકકસ હરોળ સુધી લાવવા હોય તો તેના મુજબનાં માપદંડો અનુસરવા જ રહ્યા.વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ આપીને જ બાળકોને વ્યવસ્થિત તૈયાર કરી શકાય જેથી તેઓ પણ આપણી આ ડિજિટલ દુનિયા સાથે કદમ મિલાવી શકે.હંમેશા આપણો પ્રયાસ સમાનતાનો હોવો જોઈએ આથી આપણે આપણા દેશનાં કે રાજ્યનાં છેવાડાનાં બાળક સુધી શિક્ષણ પહોચાડી શકીએ.ડિજિટલ દુનિયાથી આપણે દરિયાપાર આવેલા ખંડો મહાસાગરો પર વાતો કરીએ છીએ જીવંત બનીને તો આપણે આપણા આદિવાસી વિસ્તારોને પણ દુરસંવેદનનાં માધ્યમથી વિકસીત કરવા જ રહ્યા.દેશનાં વિકાસમાં સૌનો ફાળો અનિવાર્ય છે એક પ્રતિભા દેશને માન અપાવી શકે તેમ હોય છે ભલે તે આદિવાસી વિસ્તારનાં જંગલમાંથી કેમ ન આવતી હોય આપણી ફરજ છે કે આપણે એ પ્રતિભાને બહાર લાવીને સમાજ સમક્ષ મુકવી.

  ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં ચોમાસે વરસાદી કેર વર્તે છે તો ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવે છે.ચાર મહિનાના વરસાદ સમયે ડાંગ જિલ્લો લીલોછમ બની જાય છે ત્યારે બીજા ચાર મહિનામાં તો એક લીલા ઘાસનું તરણું પણ મળવુ મુશ્કેલ બની જાય છે.પાણીની સમસ્યા વિકરાળ બની કેર વર્તાવે છે અને લોકો પાણી માટે તડપી ઉઠે છે.

   બાળકોને મુખ્ય રીતે આ સમસ્યાનો સામનો સ્કૂલોમા જ કરવો પડે છે કારણ કે સ્કૂલોમાં પાણીની સંગ્રહ વ્યવસ્થા હોતી નથી.બાળકોને શૌચ જવા માટેનું પણ પાણી મળતું નથી.આથી બાળકો સ્કૂલે આવવાનું ટાળતા હોય છે.બીજો મુખ્ય મુદ્દો એ આવીને બની રહે છે કે કુંટૂંબીજનો બાળકો પાસેથી એવી આશા રાખે છે
એ બાળકો તેમને ઘરકામ કે ખેતીકામમાં મદદ કરે.આમ પારિવારિક આર્થિક સ્વાર્થ પણ બાળકોના શિક્ષણને ભરકી જાય છે.આદિવાસી કુંટૂંબો સ્વાવલંબી હોય છે.વર્ષમાં પોતાનું ગુજરાન ચાલે તેટલાં જ ચોખાનું વાવેતર પોતાની ઘરની નજીક બનાવેલાં ખેતરમાં કરતાં હોય છે.આથી જે પણ ઉત્પાદન મળે તેમાં આખા વર્ષ દરમ્યાન ગુજરાન કરવું પડે.ડાંગર એ મુખ્ય પાક ગણાય છે અહીંયાના આદિવાસી વિસ્તારોમાં તે લોકો જુદાં-જુદાં શાક સાથે માત્ર ભાત જ આરોગતા હોય છે.અહીંયા ઘરોમાં મરઘાં-બતકા પાળવાનો રિવાજ છે જેના દ્વારા તેમનાં ઈંડામાંથી ખોરાક મળી રહે.ક્યારેક મરઘીઓનું પાલન તેમનાં માંસ માટે પણ કરવામાં આવતું હોય છે.આમ પ્રકૃતિ સાથે રહેનારાં આ આદિવાસી લોકો એક જ અલગ જ પોતાની રહેણીકરણી સાથે જીવે છે.

   આદિવાસી વિસ્તારોમાં ગામડાંઓ દુર-દુર આવેલાં હોવાથી અને શાળાઓ અમુક જગ્યાએ જ હોવાથી બાળકોને કોઈપણ મોસમ હોય કે તકલીફ ચાલીને જ જવું પડે છે.આદિવાસી વિસ્તારોનાં ઘરો છુટા-છવાયેલાં અને જ્યાં પણ પાણી કે નદી અથવા ઝરણું હોય ત્યાં સ્થાયી થયેલાં જોવા મળે છે.આમ છુટા છવાયેલાં ઘરો અને રહેવાસો પણ બાળકોની નિયમિત રીતે ચાલતી શૈક્ષણિક પ્રણાલીને અસર કરે છે.પરિવારોમાં પણ કોઈપણ ખાસ્સું ભણેલ ના હોવાથી આ બાબતે માર્ગદર્શન ખૂબ જ ઓછું પ્રાપ્ત થાય છે.મહિલાઓ હંમેશા ઘર સંભાળતી નજરે પડે છે અને પુરુષો તો ખેતરોમાં સંભાળ લેવામાં જ પડયા રહે છે.બાળકોને પણ જો કામ વધારે હોય તો ખેતરોમાં મજૂરી કરવા લઈ જવામાં આવે છે.આદિવાસી વિસ્તારો આર્થિક રીતે સાવ નબળા વિસ્તારોમાં ગણવામા આવે છે આથી જ રોજગારી માટે અને પારિવારીક ખર્ચાને પહોંચી વળવા માટે બાળકોના પણ કામમાં જોતરવામાં આવે છે.બાળકોએ ફક્ત શિક્ષણ મેળવવું જોઈએ એ ઉંમરમાં તેમને ખેતરોમાં મજૂરી કરવી પડે છે.બાળકોનું ભવિષ્ય શિક્ષણ બધું જ બરબાદ થઈ જાય છે અને પરિવારની બીજી પેઢી પણ સાવ અભણ જ બની જાય છે.આધુનિક વિચારધારાના મુખ્યપ્રવાહમાં ન હોવાથી આ ધટનાઓ બનતી હોય છે.

 શાળાઓ આદિવાસી વિસ્તારોમાં હોવાથી અને સરકારી હોવાથી ત્યાંના શિક્ષકોની નિમણૂક પણ સરકારી ધોરણે થાય છે.નવા આવેલાં શિક્ષકો અને આધુનિક જીવનશૈલીમાં રહ્યા હોવાથી જલદીથી અહીંના વાતાવરણમાં રહી શકતાં નથી.તેઓને અહીં બરોબર નેર્ટવક પણ મળતું નથી અને પરિવાર સાથે વાતચીત પણ શકય બનતી નથી.આથી જ મોટા ભાગના શિક્ષકો અહીં નિમણુકનાં થોડા દિવસોમાં જ છોડીને જતાં રહે છે.બાળકોને શાળામાં સારા શિક્ષકોની ખામી વર્તાય છે અને બરોબર જે ગુણવત્તાનું શિક્ષણ મળવું જોઈએ તે મળતું નથી.અહીં ફક્ત ગાઢ જંગલ વિસ્તાર હોવાથી નેર્ટવકનાં પ્રોબ્લેમ ખાસ જ ઉભા થાય છે.મુખ્ય શહેરો સિવાય બધે જ દુર-સંવેદન પ્રણાલી નિષ્ફળ નિવડી ચુકી છે.બાળકીઓને અંધશ્રધ્ધાના શિકાર હોવાથી ભણાવવામાં આવતી નથી.સામાન્ય નહી પણ મોટાભાગના લોકો છોકરીઓને બહાર ભણવા મોકલતાં નથી.જ્યા સુધી ગામમાં સ્કૂલ હોય ત્યાં સુધી જ છોકરીઓને શિક્ષણ આપવામાં આવે છે.આદિવાસી વિસ્તારોનાં કરોડો રૂપિયાનાં કાર્યક્રમો પણ આ આંકડાઓને બચાવીશક્યા નથી.છોકરીઓનો શાળા છોડવાનો રેશિયો ખૂબ જ વધારે છે.હવે અમુક વિસ્તારોને છોકરીઓને પણ ભણાવવી જોઈએ એ વાત સમજણમાં આવવા લાગી છે તો થોડાક પૈસાથી સુખી કુંટૂંબો પોતાની દિકરીઓને શહેરોમાં અભ્યાસ કરવા મોકલે છે અને દિકરીઓ સારી નોકરી પણ મેળવે છે.

  આદિવાસી વિસ્તારો જંગલોમાં હોવાથી ફોરેસ્ટ એક્ટ મુજબ પ્રદુષણ ફેલાવતી કોઈપણ જાતની ફેક્ટરીને મંજૂરી મળે નહી.આથી રોજગારીની તકો સાવ જ ઓછી છે.કોઈ નવી જ ફેક્ટરી નહી ઉધોગો ન હોવાથી અહીના લોકોને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે.પરિવારો જંગલોની આડપેદાશો પર નિર્ભર બની જતા હોય છે જેમ કે ઔષધીઓ,વાંસ વગેરેની વસ્તુઓ બનાવીને શહેરોમાં વેચીને ગુજરાન ચલાવવા માડતા હોય છે.છોકરાઓ પણ આ જ વ્યવસાયની અંદર જોડાય જાય છે અને એક નહી આખું પરિવાર આ જંગલીપેદાશો આધારિત વસ્તુઓના વેચાણ પર કમાવા લાગે છે.

  સરકાર તરફથી આપવામાં આવેલા યુનિફોર્મને બાળકો સાચવીને રાખે છે અને બે જોડી હોય તો તેમાંની એક જોડી સ્કૂલ માટે જ્યારે બીજી જોડી તેઓ બહાર ગામ જાય ત્યારે વાપરતાં હોય છે.આમ આ વાત પરથી જ જોઈ શકાય છે કે કેટલી ગરીબીનો સામનો કરવો પડતો હશે તેમને.શિક્ષકો તેમને ઠપકો આપતાં કહ્યુ કેમ આ કપડાં પહેરીને આવે છે ગંદા હંમેશા બાળકો કહ્યું સાહેબ કપડાં ધોવા માટે પાણી નથી.આમ ત્યાં અનુભવાય રહેલી પ્રાથમિક સુવિધાનો ખ્યાલ આવે.પહાડી વિસ્તારો હોવાથી સીધી રીતે લાઇનો બિછાવી પાણી પહોંચાડી શકાય તેવી પરિસ્થિતિ નથી.પાણીના સંગ્રહ માટે ઘરે-ઘરે જેની જેવી આર્થિક ક્ષમતા મુજબના પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે જેથી કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય.

  ગુજરાતનાં વિવિધ વિસ્તારમાં આદિવાસી એકલવ્ય મોડેલ સ્કૂલની રચના કરવામાં આવી છે.આ સ્કૂલ અનુસુચિત જનજાતિ ને પુરતુ શિક્ષણ મળે તે માટેની વિશેષ ધારા 275(E) અંતર્ગત હેઠળ કરાય છે.સર્વ શિક્ષા અધિનિયમ,2009 મુજબ આદિવાસી વિસ્તારોમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નો કરવા પડે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનાં સંયુક્ત સાહસથી એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલો ખોલવામાં આવી છે.આ સ્કુલમાં પ્રવેશ માટે એક પરિક્ષાનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ ઉર્તીણ થયેલા દરેક બાળકને મફત રહેવાની,જમવાની અને દરેક શિક્ષણની સુવિધા આપવામાં આવે છે.ક્યારેક સંચાલનો સરકારી હોવાથી પોતાના અંગત સ્વાર્થ માટે આ શાળાઓમાં ભષ્ટ્રાચાર આચરવામાં આવે છે અને નીચી ગુણવત્તાવાળું ખાવાનું આપવામાં આવે છે.
આમ આદિવાસી વિસ્તારોની શાળાઓ કરોડોનાં ખર્ચે વાઈબ્રન્ટ બની  છે પણ હજુ જોઈએ તેવો વિકાસ સાધી શકાયો નથી.આંકડાઓ માત્ર કાગળ પર જ છે અને દેખાડવા પુરતો વિકાસ થયો છે.પાણીના ટીપા માટે ગુજરાતનાં આદિવાસીઓ ટળવળે છે જ્યારે ચોમાસા તેમનાં છાપરાઓ તણાઈ જાય છે.બાળકો માટે સુવિધાઓનો અભાવ છે.સારા ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ છે.

લેખક શ્રી: Gautam B Parmar (gujarat university journalism department)

ડાંગ જિલ્લાના સૌથી મોટો તહેવાર હોળી પર્વની ઉજવણી વિશે જાણો.

ડાંગ જિલ્લામાં હોળીનો તહેવાર અહીંના આદિવાસીઓનો સૌથી પ્રિય અને મહત્વનો તહેવાર છે. ડાંગ જિલ્લાના આદિવાસી પ્રજાની વિવિધ જાતિઓ આ તહેવારની ઉજવણીની તૈયારી ફાગણ સુદ એકમથી જ શરૂ કરી દે છે. બહારગામ મજુરીકામ અર્થે જતા આદિવાસીઓ હોળીની ઉજવણી કરવા માદરે વતન પરત આવે છે.

હોળી તહેવાર ના અવસર પહેલાં ડાંગના મુખ્ય મથક આહવા ખાતે ત્રણ દિવસીય ડાંગ દરવાર મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ડાંગના પાંચ રાજવીઓ કરણસિંહ યશવંતરાય(ગાઢવી)તપનરાવઆનંદરાવપવાર(દહેર),
ત્ર્યંબકરાવસાંડેલરાવ(પિંપરી),ભવંરસિંહહસુસિંહસૂર્યવંશી
(લિંગા),ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી(વાસુર્ણા), 9નાયકો અને ભાઉબંધોને પેન્શન આપી ડાંગ દરબારને ખુલ્લો મુકવામાં આવે છે.




                                  

હોળીના દિવસે વહેલી સવારે નગારા વગાડીને તહેવારની આગાહી કરવામાં આવે છે.  ગામના દરેક લોકો પોત પોતાના ઘરેથી 5 લાકડા હોળી સળગવાની જગ્યા પર મૂકી આવે છે. ડાંગ દરબારના દિવસીય મેળા ના છેલ્લા દિવસે ગામના 5 લોકો ગામમાં રોકાય છે. સાંજના સમયે તેઓ નગારા  ના અવાજ સાથે ખાંભ (શિરીષ ઝાડ નું થડ) લેવા જાય છે સાથે વાટી,ગોળ,સોપારી ,1 રૂપિયો અને ઝાડ તોડવા માટે  કુહાડી સાથે જંગલમાં જાય છે. ખાંભ ને નમન કરીને તોડે છે. પછી ખાંભ નું થડ ફોડીને તેમાં સોપારી અને 1 રૂપિયો મુકે છે એનો અર્થ ઝાડ જોડેથી ખાંભ વેચાતો લિધો. તેના ઉત્સવમાં  વાટી અને ગોળ દરેક જણ વહેંચીને ખાય છે. ખાંભ ને આગળ ઉંચકી જાય છે અને પાછળ નગારા વગાડતા ગામમાં લાવે છે.

સાંજનો સમય થતા દરેક લોકો પોતાના ઘરમાં બનાવેલ નીવદ (ઘરમાં બનાવેલ  અન્ન ,ભાત ) પાણી અને નારિયેળ સાથે સહ કુટુંબ દરેક લોકો હોળી પર ભેગા થાય છે. હોળી ઉભી કરતા પહેલા વચ્ચે ખાંભ મુકવામાં આવે છે. ખાંભ પર પાપડી ( ચણા ના લોટ માટી બનાવેલ અથવા ભાથ માથી બનાવેલ ) બાંધવામાં આવે છે. ગામની સ્ત્રીઓ હોળી નું ગિત ગાય છે , ગામનો વડીલ માણસ કે કારભારી હોળીનું પુંજન કરે છે. પછી  હોળી સળગાવાની પરવાનગી માંગે છે. દરેક ગ્રામજનો તેને સમર્થન આપેછે ( હોળી પેટવા ) ત્યાર પછી હોળી સળગાવામાં આવે છે. હોળીમાં નારિયેળ અને નિવદ નાખવામાં આવે છે. હોળી સળગગ્યાં પછી ખાંભ નો છેડો તોડવા માટે પણ પરવાનગી માંગે છે. ખાંભ તોડ્યા પછી ખાંભ ના છેડા ને લઈને હોળીની ફરતે 5 ફેરા ફરવાના હોય છે પછી ગામની નદીમાં ખાંભ ને છોડવામાં  આવે છે. ગામના દરેક માણસો ખાંભ ની ભસ્મ નો ચાંદલો કરે છે. હોળીમાં નાખવામાં આવેલ નારિયેળ ને હોળીનો પ્રસાદ તરીકે સૌ ને આપ પ્રસાદ આપવામાં આવે છે. ગામના દરેક લોકો એકબીજાને ભેટે છે. પછી સૌ લોકો પોતાના ઘરે જઈને ભોજન ગ્રહણ કરે છે.



ત્યાર બાદ 5 દિવસ સુધી હોળી ને સળગતી રાખવામાં આવે છે. ગામના જુવાનિયાઓ હોળીની રખવાળી કરવા  હોળી પર રાતવાસો કરે છે. સાથે તમસા અને નાચગાન કરીને હોળી ઉત્સવની મઝા માણતા હોય છે. હોળીના 5 દિવસો દરમિયાંન લોકો વિવિધ વેશભૂંષા કરીને ફાગ માંગતા હોય છે. ગામ માં ફાગ માંગતા પહેલા હોળી પર પૂજન કરીને પછી જ ફાગ માંગવા જાય છે. ગામમાં લોકો પાણી અથવા કેસુડાના રંગ નો ઉપયોગ કરીને દુળેટી રમતા હોય છે.
છેલ્લા દિવસે વાટી ,સાકર (ખાંડ) નિવદ હોળીને જમાડીને હોળીને પાણી થી ઓલાવે છે.ગામનો કોઈ પણ એક માણસ નિવદ બનાવીને સોને જમાડે છે.

માહીતી સોર્સ : સોમનાથભાઈ પવાર (ગામ: બોન્ડરમાળ)

ચીંચલી ગામના યુવાનો દ્વારા જંગલ બચાવો અભિયાન

ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ચીંચલી ગામના યુવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી જંગલ બચાવો અભિયાન હાથ ધરાયું છે.

ચોમાસાની ઋતુમાં ડાંગના જંગલોમાં જાણે લિલી સાડી પાથરી હોય તે રીતના દરેક ડુંગરાઓ માં લીલોતરી જોવા મળે છે

જે લીલોતરી આંખોને થડક આપે છે પણ એજ ડુંગરાઓ ઉનાળાની ઋતુમાં સાવ ઉજ્જડ  દેખાય છે. ઘણી જગ્યાએ ગામોમાં શિકારીઓ ફક્ત નાનકડાં શિકારને મેળવવા માટે આખું જંગલ સળગાવી દેતા હોય છે. ઘટાદાર જંગલમાં આગ લાગે તો તેને કાબુમાં લાવતા લાવતા તો આખું જંગલ સળગી જાય છે.
જે ખૂબ જ બેદરકારી રૂપ છે. બળતણના લાકડાં માટે જંગલ ને આડેધડ કાપવામાં આવે છે. માલિકીના લાકડાં વેચવા માટે પણ લોકો કિંમતી સાગી લાકડાઓને કાપે છે. જે આવનાર ભવિષ્યમાં ખૂબજ નુકસાનકારક થઈ શકે છે.

આવી બધી ઘટનાઓ ને રોકવા અને જંગલને હમેશાં લીલોતરું રાખવા માટે ચીંચલી ગામના યુવાનોએ પોતે જ ગામની ટીમ બનાવી જંગલ બચવાનું નક્કી કર્યું. ચીંચલી ગામની નજીક મહારાષ્ટ્ર બોડર આવેલ છે બીજા ગામના લોકો જંગલને આડેધડ કાપી ના જાય તથા ગામ લોકોને પોતાની જરૂરિયાત મુજબના જ લાકડાં લઈ જવાની શર્ત સાથે છેલ્લા 10 વર્ષ થી આ યુવાનો આખી રાત જંગલમાં ચોકીદારી કરે છે. અને જંગલ  બચવાનો પ્રયાસ કરે છે. જે વાત સૌ ડાંગી લોકો માટે પ્રેરણા દાયક છે કે જંગલ ખાતા ના અધિકારીઓ જે કામ ના કરી શક્યા તે કામ ગામના સૌ લોકો સાથે મળીને કરે છે. 

વધુમાં ચીંચલી ગામના યુવાનો વિશે વાત કરીએ તો ગામના યુવાનો ની એકતા દરેક બાબતે એક રહી છે. ગામના કોઈ પણ સુખ દુઃખ ના પ્રસંગે સૌ યુવાનો ગ્રામજનો ને સાથે લઈને ચાલે છે. કબડી નો ખુબજ ગાંડો શોખ ધરાવતા ચીંચલી ગામના યુવાનો ડાંગમાં રમત ક્ષેત્રે પ્રથમ નંબરે છે. ડાંગી નૃત્ય જે ડાંગમાં ખુબજ પ્રખ્યાત છે  અને ડાંગી નૃત્યમાં જ આદિવાસી એકતા રજૂ થાય છે આદિવાસી લોકોની એકતા દાખવતા આ નૃત્ય ને ચીંચલી ના યુવાનોએ દેશભરમાં પ્રખ્યાત કર્યું છે.જે ખૂબ જ ગૌરવની વાત છે .


આદિવાસીઓની જીવન વ્યવસ્થા વિશે જાણો.



🌿આદિવાસીઓની જીવન વ્યવસ્થા વિશે જાણો.🌿


સદીઓ કાળથી પ્રકૃતિ સાથે જીવતી આવતી આદીવાસી પ્રજા જેને પ્રકૃતી સાથે ગાઢ સબંધ રહયો છે. પ્રકૃતિ ના ખોળે જીવનજીવનારા આદિવાસી પ્રજાને પ્રકૃતિ પૂજક પણ કહેવામાં આવે છે. ઝાડ,જંગલ, પાની, સૂર્ય, વન્યપ્રાણી, વગરેનું..... આદિવાસી પ્રજા વર્ષોથી પૂજન કરતી આવી છે.
પ્રકૃતિ ના સહારે જીવવું અને પ્રકૃતિ ને જીવતી રાખવી એ આદિવાસીની ઓળખ છે.
આદિવાસીઓની પોતાની  આગવી કળા છે જે પ્રકૃતીમાંથી જ વિકસી આવે છે. આદિવાસીઓના નૃત્યો, સંગીત, સંગીતસાધનો વગરે પ્રકૃતી માંથી જ વણાઈ આવે છે.
પોતાના સ્વનિર્મિત સંગીત સાધનો માંથી સંગીતના રેલાઓનો મધુર અવાજ ઉત્તપન્ન થાય છે જેના પર આદિવાસી નાચગાન કરે છે. આદિવાસીઓના દરેક નાચમાં એકતાનો ભાવ દેખાઈ આવે છે. દરેક નૃત્ય પુરૂષ અને સ્ત્રી સાથે મળીને કરે છે.

આદિવાસીઓની પોતાની ભાષા છે ભાષામાં સાહિત્ય સમાયેલું છે અને ભાષામાં સંસ્કૃતિ.

 આદિવાસી ની સંસ્કૃતિ,ભાષા, અને રહેણીકરણી એજ આદિવાસીની મૂળ ઓળખ છે.
દરેક આદિવાસી પ્રજામાં અલગ અલગ જાતિઓ હોવા છતાં એક સમુદાય તરીકે જીવન જીવે છે. દરેક જાતિઓની પરંપરામાં કાઈ ફરક નથી સૌ એક જ છે.

જય આદિવાસી.


ડાંગ વિધાનસભાની બેઠકમાં 1975થી ઉમેદવારો અને હરીફ અંગેનો વિશેષ અહેવાલ

  ગુજરાત   વિધાનસભાની  173  બેઠક   માટે   પેટા   ચૂંટણી   યોજાવાની   છે .  આ   બેઠક   ઉપર  2017 માં   કોંગ્રેસ   પક્ષમાંથી   ચૂંટાઈ   આવેલા ...